ધોરાજીમાં સ્વ.મુક્તાબેન ઉઘાડનું સ્મસાન ખાતે ચક્ષુદાન કર્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

સૌરાષ્ટ્ર માં પ્રથમ વાર સ્મસાન ખાતે ચક્ષુદાન કર્યું હતું ધોરાજી ખાતે ખેડૂત એવા જમનભાઈ ઉઘાડ ના ધર્મ પત્ની નું દુ:ખદ અવસાન થતાં અને સ્વની ઈચ્છા અનુસાર ચક્ષુદાન અંગે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકી ને જાણ કરતા સ્મસાન યાત્રા બાદ સ્વ. મુક્તાબેન ધીરૂભાઈ ઉઘાડ ની સ્મસાન યાત્રા સ્મસાન ને પહોચ્યા બાદ ધોરાજી માનવ સેવા મંડળ અને ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ જયેશ વસેટીયન અને ડૉ. ગૌરવ હાપલીયા, નિતીન સાગઠીયા, રોહિત સાગઠીયા, અને માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને સાગર સોલંકી સહિત ની મેડીકલ ની ટીમ સ્મસાન ખાતે ચીતાપર મેડીકલ ટીમ દ્વારા સ્વ મુક્તાબેન ધીરૂભાઈ ઉઘાડ ના ચક્ષુદાન સ્મસાન ખાતે સૌરાષ્ટ્ર માં પ્રથમ વાર લેવાયા હતા અને માનવ સેવા યુવક મંડળ ને ૩૪ મું ચક્ષુદાન મળેલ છે. આતે સ્મસાન ખાતે રવીભાઈ ઉઘાડ, પ્રવિણભાઈ ઉઘાડ, દિપકભાઇ ઉઘાડ, અમિત ઠુમંર, સહિતના ઓ વિશાળ સંખ્યામાં ડાયુઓએ સ્વ. મુક્તાબેન ને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ અને માનવ સેવા યુવક મંડળ ની સેવા ઓને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here