ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી આમ તો મીની વલ્લભ વિદ્યા નગરી તરીકે ઓળખાય છે. ધોરાજી ના કુભારવાડા વિસ્તાર મા રહેતા ધવલભાઈ વાગડીયા યે તેમજ તેમના માતા પિતા ની સખત મહેનત કરી એમ એસ સર્જન ની ડીગ્રી પ્રાપ્ત કરતા ધોરાજી શહેર નુ નામ રોશન કરેલ હોય તેમનુ સન્માન વિવેકાનંદ પરીવાર દ્વારા કરવામા આવેલ આ ઉપરાંત તેમના ભાઈ એલીશ વાગડીયા સોફ્ટવેર ઈજનેર , હરમીશ લાખાણી જે એમેજોન કંપની માં નોકરી કરે છે ,સંજય ધામેચા જે ગુજરાત આઈડલ માં સીલેકટ થયેલ હોય ત્યારે દરેક નુ પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામા આવેલ હતુ.આ તકે વિવેકાનંદ પરીવાર ના રાજુભાઈ એરડા, રાજુભાઈ બગડા, મૂસલીમ અગ્રણી રીયાઝભાઈ દાદાણી, ભાનુભાઈ ઠાકર સાહેબ, વિપુલ ભાઈ એરડા, રજાકશાહ બાપુ, સહિત ના હોદેદારો હાજર રહેલ હતા.