ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
ધાનપુર તાલુકાના નળુગામમાં શંકરભાઈ નાનાભાઈના ઘર નજીક અગજર નજરે પડતાં સ્થાનિકોમાં ભય સહિત ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.. જેને લઈને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફોરેસ્ટ રેન્જ ધાનપુર સહિત નાઓની હાજરીમાં જસવંતસિંહ અમરસિંહએ આવીને અજગરનું રેસ્કયુ કર્યું હતું. જેથી ગ્રામ્ય જનોએ રાહતનો શ્વાસ લીધો હતો…