તિલકવાળા,(નર્મદા) વસીમ મેમણ :-
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વૈશ્વિક મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારી માંથી નર્મદા જિલ્લો અને તિલકવાડા તાલુકો પણ બાકાત રહ્યું નથી કોરોના મહામારી ને રોકવા માટે સરકાર તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોરોના મહામારી ને રોકવા માટે કેટલીક સંસ્થાઓ પણ આગળ આવી છે અવા સમય માં જ્યારે બ્લડ ની ખાસ જરૂરિયાત હોઈ તેવા સમય માં તિલકવાડા ભાજપા પ્રમુખ બાલુભાઈ બારિયા ના માર્ગદર્શન અને સરકારી હોસ્પિટલ ના ડો આર જે રંજન ની નિગરાની હેઠળ આજ રોજ તિલકવાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરીને 29 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું.
દેશ ના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સાસન ને સાત વર્ષ પૂર્ણ થતા તિલકવાડા ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત રેડ ક્રોસ બ્લડ બેન્ક રાજપીપળા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં તિલકવાડા ભારતીય જનતા પાર્ટી ના યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું હતું અને 29 યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેટ કર્યા બાદ ચા અને બિસ્કિટ ની સુવિધા પણ કરવામાં આવી હતી હાલમાં ચાલી રહેલી મહામારી માં કેટલાક દર્દીઓને બ્લડની ખાસ જરૂર હોય એવા દર્દીઓ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેસન નો કેમ્પ યોજીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત તિલકવાડા સરકારી હોસ્પિટલ માટે સેનેટાઈજર અને માસ્ક નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.