તિલકવાડા તાલુકામાં વીજળી પડતા યુવતી તથા સાપ કરડતા બાળા મળી 02 ના મોત થયા

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા માં આકસ્મિક ઘટનામાં બે ના મોત થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના આમલીયા ગામમા રસીલાબેન અમરસીંગભાઈ ભીલ ઉંમર ૧૫ વર્ષ ની ઉપર પોતાના ખેતરે ગયા હોય અને અચાનક ગાજવીજ થતા વીજળી પડતા તેઓ બેભાન થઈ ગઈ હોય અને તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર અર્થે તિલકવાડા CHC હોસ્પિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારે બીજી ઘટના પાયાકોઇ ગામની સીમમાં બની જેમાં હેતલબેન ચંદ્રકાંતભાઇ ભીલ ઉ.વ.૧૯ રહે. દાજીપુરા તા.નસવાડી જી. છોટાઉદેપુર નાઓ પાયકોઈ ગામની સીમમાં આવેલ ખેતરમાં નીંદામણ કરતા હતા તે દરમ્યાન હાથના અંગુઠા ઉપર ઝેરી સાપ કરડતા તેઓને નસવાડી સરકારી દવાખાના ખાતે સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત થયું હતું આમ ઉપરોકત બંને ઘટનામાં તિલકવાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here