ડભોઈ રેલવે સ્ટેશન નજીક કેવડિયા- પ્રતાપનગર મેમુ ટ્રેનની અડફેટે આવતા બે ઈસમોનું મોત… એક મહિલા ગંભીર…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગતરાત્રી ડભોઇ રેલવે સ્ટેશન નજીક આવેલ સંતપુરી વિસ્તાર ના ત્રણ લોકો ટ્રેન નં -69206 કેવડિયા- પ્રતાપનગર મેમુ ટ્રેન ની અડફેટે આવી જતા બે ઈસમો ના મોત નિપજ્યા હતા.જેમાં (1)રામુભાઇ મંગાભાઈ વાઘરી ઉ.વ 65(2) પુનમભાઇ મણીલાલ વાઘરી.ઉ.વ 55 નાઓનું અકસ્માતે મૃત્યુ થવા પામ્યું હતુંજ્યારે એક મહિલા સારદાબેન પુનમભાઇ. ઉ.વ 52 ને ઘંભિર ઇજાઓ આવતા ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું માલુમ પડ્યું છે.બનાવ ની વિગત પ્રમાણે ડભોઇ નું સંતપુરી વિસ્તાર કે જ્યાં 1500 જેટલી વસ્તી છે જેઓને અવર જવર કરવા માટે અન્ય કોઈ વિકલ્પ ના હોવાના કારણે મજબૂરી માં રેલવે ઓળંગી ને અવર જવર કરવી પડતી હોય છે.જેને લઇ નગરપાલિકામાં સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઇ છે.તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં ગતરાત્રી વિસ્તાર ના ત્રણ લોકો ત્યાંથી રેલવે ના પાટા ઓળંગી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક મેમુ ટ્રેન આવી ચઢતા ત્રણ્યે ઈસમો ટ્રેન નિ અડફેટે આવી જતા એક ઈસમ ની ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઈસમ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું જ્યારે મહિલા ની હાલત નાજુક હોવાનું માલુમ પડ્યું હતું.ટ્રેન ની અડફેટે મોત નિપજતા સ્થાનિકો માં ભારોભાર ગુસ્સો જોવા મળી રહ્યો છે તેમજ તેઓને અવર જવર માટે કાયમી નિકાલ લાવી ગરનાળુ બનાવી આપવામાં આવે તો બે કસુર લોકો નું જીવ જતા અટકે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here