પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-
મુસ્લિમ સમાજ નો પવિત્ર માસ રમઝાન પુર્ણ થતા મુસ્લિમ બીરાદરો રમઝાન માસ એ મુસ્લિમ ધર્મ નો પવિત્ર મહિનો ગણાય છે. જેમા મુસ્લિમ બીરાદરો રોજા રાખી અલ્લાહ ની ઈબાદત ,કુરાન નુ પઠન , જીકર, કરતા હોય છે. આ મહિના મા મુસ્લિમ બીરાદરો દાન અસંખ્ય કરે છે. અને રમજાન માસ ના અંતે ઈદુલ ફિતર એટલે ઈદ ની નમાજ ઈદગાહ મા જઈ અદા કરે છે. અને બાદ નમાજ એક બીજા ને ઈદ ની મુબારક બાદિ પેશ કરી હતી. અને ઈદ ની ખુશી મનાવવામા આવી હતી તથા ભારત મા અમનો શાંતી ની દુઆ કરવામા આવી હતી. ઈદ ની નમાજ નુરાની મસ્જિદ ના ઇમામ સમસ તબરૈઝ સાહબે અદા કરાવી હતી.