જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીનું નવ નિર્મિત ભવન બામરોલી રોડ ખાતે કાર્યરત થયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સંબંધિતોને સરનામામાં ફેરફાર ધ્યાને લેવા જણાવાયુ

મદદનીશ ચેરીટી કમિશનરની એક અખબારી યાદીમા જણાવાયું છે કે ગોધરા ખાતે આવેલી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી હવે નવા સરનામે કાર્યરત કરવામાં આવી છે. તા. 21.02.2022થી નોંધણી કચેરીનું નવુ મકાન ‘ચેરીટી ભવન’ મારૂતિ નગર, બાલાજી-02ની પાછળ, કોમર્સ કોલેજ પાસે, બામરોલી રોડ, ગોધરા ખાતે કાર્યરત થયું છે. આ ફેરફારની ટ્રસ્ટો, ટ્રસ્ટીઓ, લાગતા વળગતા સંબંધિતોને ધ્યાનમાં લેવા યાદીમાં જણાવાયું છે. જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીમાં નવીન ટ્રસ્ટોની નોંધણી, ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓનાં તથા સ્થાવર જંગમ મિલ્કતનાં ફેરફાર રિપોર્ટ તથા ટ્રસ્ટોનાં વાર્ષિક ઓડિટ રીપોર્ટ રજૂ કરવા અંગે કામગીરી થતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here