છોટાઉદેપુર, એસ વી ચારણ :-
છોટાઉદેપુર ખાતે સીએનજી ની શરૂઆત થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે, હાલમાં પેટ્રોલ- ડીઝલના ભાવો વધતા પંથકમાં લોકો સીએનજી તરફ વળ્યા હોય છોટાઉદેપુર માં સીએનજી પંમ્પની વિધિવત શરૂઆત થતા 25 કિલોમીટર્ ની ત્રીજયાના વાહનો સીએનજી ગેસ પુરાવવા આવ્યા હતા..
છોટાઉદેપુર ખાતે માજી રેલ મંત્રી નારાયણભાઈ રાઠવા ના સુપુત્ર સંગ્રામ ભાઈ રાઠવા ના સીએનજી પેટ્રોલ પંમ્પ નું ઉદ્ઘાટન રાખવામાં આવેલ હતું જેમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવા માજી ધારાસભ્ય સંખેડાના ધીરુભાઈ ભીલ તથા ઇન્ડિયન ઓલ રિટેલ સેલ્સ મેનેજર તથા છોટાઉદેપુર ના આગેવાનો તથા મહેમાનો હાજર રહ્યા હતા છોટાઉદેપુરમાં પ્રથમ સીએનજી પંમ્પ થવાથી સીએનજી વાહનચાલકોને ઘણી બધી રાહતનો અનુભવ થયો અને નારણભાઈ તથા સંગ્રામ ભાઈ રાઠવા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.