નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
નસવાડીના સાતબેડીયા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં વિદ્યાર્થીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાની આશંકાઓ પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના સાતબેડીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગરુડેશ્વર તાલુકાના ધનીયારા ગામનો રહેવાસી રોહિત દિવ્યાંગ કુમાર પિતાંબરભાઈ જે સવારે અભ્યાસ કરતા એસ.બી.સોલંકી વિદ્યામંદિર નસવાડી ખાતે આવ્યો હતો અને તે ધો.11 માં અભ્યાસ કરતો હતો.નર્મદા મુખ્ય કેનાલના બ્રીજ પર એક્ટિવા બાઇક બેગ ચંપલ મળી આવ્યા હતા.બેગમાં તપાસ કરવામાં આવતા બેગમાંથી એસ.બી.સોલંકી વિદ્યામંદિર નસવાડી નું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું.કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.વિદ્યાર્થીના વાલીને જાણ કરતા સ્થળ પર આવ્યા હતા અને એક્ટિવા બાઇક અને આઇકાર્ડ જોઈ તેમનો પુત્ર છે તેની ઓળખ થઈ હતી.નસવાડી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થિની શોધખોળની તપાસ હાથ ધરવામાં આવી હતી.