બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-
મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના માકણી ખાતે જૈન ઇરિગેશન સિસ્ટમ લી જલગાવ આયોજિત કેળા પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લો તેમજ વડોદરા જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા આ પરિસંવાદ બાગાયત વિભાગ માંથી આવેલ શ્રી મનોજભાઈ અગ્રવાલે બાગાયત ની ચાલતી સ્કીમ અંગે માર્ગદર્શક આપ્યું હતું અને જૈન ઈરીગેશન ના કેળા પાકના તજસ શ્રી કેબી પાટીલ સાહેબ દ્વારા ખેડૂતોને કેર પાકમાં પાણી નું અને ખાતરનું વ્યવસ્થા પણ પાકમાં આવતા જીવાતો અને રોગો નું વ્યવસ્થાપન એક્સપોર્ટ માટે કેળાના પાકને રોપણીની લઈને કાપની માર્ગદર્શક આપવામાં આવ્યું હતું આ ઉપરાંત નું આયોજન યોગેશ પટેલ જૈન ટીશ્યુ હેડ અને રણજિતભાઈ પટેલ હરી એગ્રો માકની સંજયભાઈ પાટીદાર. પ્રશાંત ભોયર અને વિક્રમભાઈ ઘાટઞે દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.