છોટાઉદેપુર ખાતે ગાધી જયંતી નિમિત્તે સાંસદ ગીતાબેન સહીત આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને શ્રધાંજલિ અર્પણ કરાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજ ની બીજી ઓક્ટોમ્બરે ગાંધીજી ની ૧૫૪ મી જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર ની મધ્ય માં આવેલ સરદાર બાગ પાસે મુકવામાં આવેલ ગાંધીજી ની પ્રતિમા ને છોટા ઉદેપુર લોકસભા ના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાંસદ ગીતાબેન રાઠવા સાથે જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ જીલ્લા તથા શહેર ભાજપ ના અનેક કાર્યકરો એ ગાંધીજી ની પ્રતિમા ને કુમકુમ તિલક કરી સુતર ની આંટી તથા ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી. ભારત માતા કી જાય અને વંદે માતરમ ના સુત્રો ઉચ્ચારી સૌએ ગાંધીજી જન્મ જયંતી ની ઉજવણી કરી હતી. અને વડાપ્રધાન મોદીજી ના જન્મ દિવસ ૧૭ સપ્ટેમ્બર થી મહાત્મા ગાંધીના જન્મ દિવસ ૨ જી ઓકટોબર સુધી સ્વચ્છતા સેવા પખવાડિયા ની ઉજવણી માં વિવિઘ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here