છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
આજ રોજ ભારત સરકાર ના નવા કોમન સિવિલ કોડ અસ્તિત્વ માં લાવવાના નિયમ સામે આદિવાસી સમાજ દ્વારા સમૂહ માં એકત્રિત થઇને જિલ્લા કલેટર છોટાઉદેુરને સમાન સિવિલ કોડ નો વિરોધ નોધાવતું આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો..આવેદન કર્તાઓના જણાવ્યા મુજબ ભારત ની આઝાદી પછી બંધારણ માં ભારત ના સનવીધન માં મરેલ જાતિવાર કાયદાનું અસ્તિત્વ નામશેષ થઈ જશે તમામ ધર્મ માટે એકજ કાયદો અમલમાં લાગુ પડ્સે અને આ કાયદો જો લાગુ પડે તો આદિવાસી સમાજ ના તમામ હક્કો જે અનુસૂચિ(૫) મુજબ છીનવાય જશે જેમાં જંગલ ની જમીન જે ખેડૂતો ખેડે છે તેનો હક છીનવાઇ જશે,૭૩ aa નો કાયદો પણ નામશેષ થશે..આદિવાસી અત્યાચાર નો કાયદો પણ નામશેષ થશે,અને ડાંગ થી દાહોદ સુધીના જે આદિવાસી વિસ્તાર ના લોકો બંધારણ માં મળેલ તમામ હક્કો છીનવાઇ જશે તેવું જણાવ્યું હતું.