ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ઘોઘંબા તાલુકામાં બે જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક ઘોઘંબા કમળા નગરમાં રાજકીય આદિવાસી દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જ્યારે રાજગઢ ગામમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો જેમાં કોઇ રાજકીય પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો જેમાં હજારો લોકો જોડાયા હતા અને રાજગઢથી ઘોઘંબા મામલતદાર કચેરી સુધી ડી.જે સાથે આદિવાસી રીતી રીવાજ મુજબ ધારીયા તલવાર અને તીર કામઠું લાકડી તથા મોટા ઢોલ સાથે ટીમલી કુંદતા કુંદતા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.