ગોધરા,(પંચમહાલ) પ્રશાંત સામતાણી :-
સિંધી સમાજ ના ઈષ્ટ દેવ ભગવાન શ્રી ઝુલેલાલ ની પૂજા અર્ચના કરવા માટે ગોધરા શહેર ના મધ્ય માં આવેલ રામસાગર તળાવ ના કિનારે બનાવામાં આવેલ ઝુલેલાલ ઘાટ પર સમગ્ર ગોધરા શહેર ના સિંધી પરિવાર ના લાલ ભક્તો ભગવાન ઝુલેલાલ ની પૂજા કરવા માટે ઘાટ પર આવતા હોંય છે. જેથી ઝુલેલાલ ઘાટ સાથે સિંધી સમાજ ની ધાર્મિક લાગણીઓ સંકળાયેલી છે. પરંતુ વર્તમાન સમય મા સમગ્ર તળાવ માં જંગલી વનસ્પતિ ફેલાઈ ગઈ છે તથા ઘાટ ની આસપાસના વિસ્તારમાં ગંદીગી નું પ્રમાણ વધી ગયું છે, તેમ છતાં નગરપાલિકા ધ્વારા કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવામાં નથી આવી.
દેશ અને દુનિયા માં સ્વચ્છ અભિયાન ની વાતો ચાલે છે પરંતુ, જ્યારે ગ્રાઉંડ લેવલ પર જોવામાં આવે તો ફક્ત નિરાશા જ હાથે લાગતી હોંય છે.
તળાવ ના બ્યુટીફીકેશન માટે ફાળવવા મા આવતું ફંડ આખરે જાય છે ક્યાં, તે સમગ્ર ગોધરા શહેર માટે એક રહસ્ય નો વિષય બની ગયેલ છે.
સામગ્ર ગોધરા ના સિંધી સમાજ ની માંગ છે કે, ભગવાન ઝુલેલાલ ના ઘાટ ની કાયમી ધોરણે સાફ સફાઈ કરવામાં આવે.