ખાનગી શાળાના આચાર્ય વિરૂદ્ધ સરકારશ્રીની ગાઈડ લાઇનનો ભંગ કરતા કાર્યવાહી કરતી દિયોદર પોલીસ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શ્રી જે.આર.મોથાલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી પી.એચ.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તથા I/c સર્કલ પો.ઇન્સ. જે વાય. ચૌહાણ નાઓની જિલ્લા મેજિ્ટ્રેટ સાહેબના કોરોના ગાઈડ લાઈનના જાહેરનામાનો અમલ કરાવવાની સૂચના મુજબ આજ રોજ એચ.પી.દેસાઈ પો. સબ.ઇન્સ.દિયોદર પોલીસ સ્ટેશન તથા વુ.હેડ કોન્સ.વાસંતીબેન ગજુજી તથા અ. પો.કો. ભાણજીભાઈ તથા અ. પો.કો.અનુપજી દિયોદર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે માહિતી મળેલ કે ગુજરાત સરકારશ્રી દ્વારા ધોરણ ૧ થી ૯ સુધી શાળાઓ બંધ રાખવા જાહેરનામું બહાર પાડેલ હોવા છતાં સંસ્કૃતિ વિદ્યાલય દિયોદરના આચાર્યશ્રીએ ધોરણ ૧ થી ૯ સુધીની શાળા ચાલુ રાખી સરકારશ્રીની ગાઈડ લાઈન તથા જિલ્લા મેજસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેથી સંસ્કૃતિ વિદ્યાલય દિયોદરના આચાર્ય- અકબરભાઈ ગનીભાઇ શેખ રહે.દિયોદર અંબિકા નગર તા. દિયોદર વાળા વિરૂદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો રજી્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here