કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ -હાલોલ હાઈવે સ્થિત અલિન્દ્રા ચોકડી થી બાકોલ ધનતેજ જતા રોડ ઉપર રવિવારે સાંજના સમયે મોટરસાયકલ ઉપર એક પરિવાર જઈ રહ્યો હતો ત્યારે બરોલા બસ સ્ટેન્ડ નજીક પહોંચતા રોડ ઉપર પડેલા ખાડાને કારણે ચાલુ બાઈક ઉપર થી એક મહિલા પડી ગઈ હતી જેને લઇને માથામાં ઈજાઓ થતા લોહી નીકળવા લાગ્યું હતું તે જ સમયે કોઈક કામ અર્થે જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ડૉ. વનરાજસિંહ ગોહિલ ત્યાંથી પસાર થતા હતા ત્યારે આ ઘટનાને જોઈને તાત્કાલિક 108 ને કોલ કરી ઇજાગ્રસ્ત મહિલાને નજીકના હોસ્પિટલમાં દવા સારવાર માટે પહોંચાડી હતી. આમ,આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં પહોંચાડી ડોક્ટર વનરાજસિંહ ગોહિલે માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.