કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના સુરેલી ગામના સિમળા વાળા ફળીયામાં રહેતા વિક્રમસિંહ પ્રતાપસિંહ પટેલ ઉ.વ.૪૦ નાઓ ગત તા ૧૭/૦૪/૨૨ નાં રોજ વાન લઈને પોતાની સાથે અન્ય ઈસોમો ને બેસાડીને ગોયા સુંડલ ગામેથી લગ્નમાંથી પરત ફરતા હતા તે સમયે ગેંગડીયા ગામ પાસે જીઈબી ની ઓફિસ સામે બપોરનાં પોણા ત્રણેક વાગ્યાના સુમારે એક ફોરવીલ કાર ચાલક દ્વારા તેઓની વાનને અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં વિક્રમસિંહ ને જમણા પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી જેઓ ને હાલોલ ખાતેની ખાનગી હોસ્પિટલમાં દવા સવાર કરાવી વધુ સારવાર માટે વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા અને તે સમયે અકસ્માત અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી જેઓને હોસ્પીટલ ખાતે થી તા ૦૭/૦૫ નાં રોજ રજા આપી હતી અને દવા સારવાર ચાલુ હતી તા ૨૨/૦૮/૨૨ નાં રોજ વડોદરા ની ખાનગી હોસ્પિટલમાં વિક્રમસિંહ નાં જમણા પગે ફેક્ચર હોવાથી રીંગ બેસાડી હતી અને ઘરે લાવેલ અને દવા સારવાર ચાલુ હતી ત્યારબાદ ગત તા ૨૯/૦૯ નાં રોજ સાંજ ના સમયે તેઓને ઉલ્ટી થતા વેજલપુર ખાતે દવા સારવાર અર્થે દાખલ આવ્યા હતા જ્યાંથી તા ૦૨/૧૦/૨૨ નાં રોજ વધુ સારવાર અર્થે વડોદરા જવા માટે નીકળ્યા તે સમયે દેલોલ પહોચતા વિક્રમસિંહ નું મોત થયેલ જે અંગેની જાણ દિલીપભાઈ પ્રતાપભાઈ પટેલ દ્વારા વેજલપુર પોલીસ મથકે કરતા પોલીસે સીઆરપીસી ની કલમ ૧૭૪ મુજબ ની અ.મોત ની નોંધ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.