કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના મલાવ ગામના સામાજિક કાર્યકર અને વિવિધ સંગઠનોના અગ્રણી હોવાનો માન મોભો ધરાવતા જીતુભાઈ પટેલનું રવિવારે ૬૪ વર્ષની વયે નિધન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. ખાસ કરીને મલાવ ગામના માજી સરપંચ, ગ્રામ વિકાસ મંડળ, મલાવ દૂઘ ઉત્પાદક સહકારી મંડળી, કૃપાલુ સમાધિ મંદિર, કૃપાલુ મુની મંડળ અને કૃપાલુ વિદ્યા મંદિર જેવી વિવિધ સંગઠનોના પ્રમુખ ચેરમેન સહિતના હોદ્દા સાથે યોગધામ ગણાતા મલાવ ગામના વિકાસ માટે સિંહફાળો આપતા જીતુભાઈ પટેલનું રવિવારે હ્રદયરોગના હુમલાથી અવસાન થતાં ગામના પીઢ વડીલની છત્રછાયા ગુમાવી હોવાના શોક સાથે રવિવારે સાંજે ગ્રામજનોએ બેન્ડ વાજા સાથે અંતિમયાત્રા કાઢતા મોટી સંખ્યામાં મલાવ અને આજુબાજુના ગ્રામજનોએ હાજરી આપીને અંતિમવિધી કરી હતી.