કાંકરેજ તાલુકાના શિહોરી ગામે માનનીય શિક્ષણમંત્રી શ્રી કિર્તીસિંહજી વાઘેલાનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો..

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

કાંકરેજ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના શિક્ષણમંત્રી મા.શ્રી કિર્તીસિંહજી વાઘેલા સાહેબ આજે શિહોરી રેસ્ટ હાઉસ ખાતે બપોરે પધાર્યા હતા તે સમયે રેસ્ટ હાઉસ ના મહારાજની દીકરીએ કંકુ તિલક કરી.તેમજ રામસુગભાઈ રાવલે મંત્રીશ્રી નું શાલ
ઓઢાડી સન્માન કર્યું હતું..

તારીખ – ૧૯-૧૦-૨૦૨૧ વાર – મગળવાર ના રોજ માનનીય મંત્રી શ્રી કાંકરેજ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી માનનીય કિર્તીસિંહ વાઘેલા સાહેબ આજે શિહોરી રેસ્ટ હાઉસ ખાતે લોકોનો જનસંપર્ક કાર્યક્રમ કર્યો હતો..

કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો.સરપંચો. ડેલીગેટો. શિક્ષકશ્રીઓ. વિચરતી જાતી ના વાદી ભાઈઓ વિગેરે જનસંપર્ક કાર્યક્રમ મંત્રીશ્રી ની મુલાકાત કરી હતી..

મંત્રીશ્રી ની લોકોએ શાલ. સાફો.તલવાર વિગેરે આપી સન્માન કર્યું હતું…

આ પ્રસંગે કાંકરેજ તાલુકા ભાજપ ના કાર્યકરો.હોદેદારો તેમજ કાંકરેજ મત-વિસ્તાર ના લોકો હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here