ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતાસભર નગરયાત્રા તથા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ ભક્તિભાવપૂર્વક યોજાઈ …

અમદાવાદ, મુસ્તુફા મિર્ઝા (કાલોલ) :-

મેયરશ્રી, પોલીસ સાર્જન્ટ  વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ…

ઇંગ્લેન્ડના, લેક ડિસ્ટ્રિક્ટમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો હરિભક્તોએ સાથે મળી શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતા સભર નગરયાત્રા સહિત સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કલાકૃતિ ધરાવતા રથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા મહંત સદ્ગુરુ સંતો બિરાજમાન થયા હતા. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, બોલ્ટન તથા લંડને નગરયાત્રામાં ભક્તિરસના સૂરો રેલાવ્યા હતા અને અનેકાનેક યુરોપિયન આદિ રાષ્ટ્રોના સહેલાણીઓને આકર્ષિત કર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના સ્યંદનની પાછળ કળશધારી બહેનોએ પણ ભક્તિભાવથી કીર્તનોનું ગાન કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજય આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા સંતો હરિભક્તોએ નૌકાવિહાર કર્યો હતો.

આ અવસરે Mayor Leitch Hallstsch, Councillor Aidrian Legge, Police Sergent – Suzzanne O’Neill Police constable – Becky
Cruise Owner – Nigel Wilkinson MBE
Lake Manager – John Woodburn વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નૌકાવિહાર કર્યા બાદ લેક ડિસ્ટ્રિક્ટ વિન્ડરમિયરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા સદ્ગુરુ સંતોએ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં નવા વૃક્ષનું આરોપણ કર્યું હતું. ત્યારબાદ સ્વામીબાપા હિલમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિર પણ યોજાઈ હતી. સ્મૃતિ શિબિરમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન તથા આરતી પણ ઉતારી હતી. ત્યારબાદ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું પાન પણ કરવામાં આવ્યું હતું.

લેક ડિસ્ટ્રિક્ટમાં અવિસ્મરીયણ પ્રસંગોની સ્મૃતિને તાજી રાખવા અને દિવ્ય આશીર્વાદની સ્મૃતિને જીવંત રાખવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ષષ્ઠ વારસદાર આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશાળ સંતો હરિભક્તો સહિત પધારી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિરનો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here