બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
આજરોજ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી રાજપૂત ના અધ્યક્ષ સ્થાને સરકારી બ્લડબેન્ક શરૂ કરવા માટે બોડેલીના એસડીએમ સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો આવેદનપત્ર ના માધ્યમ દ્વારા આપની રજૂઆત કરવામાં જણાવ્યું હતું કે તાત્કાલિક છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તાર હોવાથી આદિવાસી વિસ્તારના લોકોને તેમજ જિલ્લાના રહેવાસીઓને બ્લડની જરૂર પડે છે છોટાઉદેપુર જિલ્લો ૨૦૧૩થી અલગ થયેલ છે આજે પણ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના નાગરિકને ૧૫૦ કિલોમીટર અંતર કાપીને બ્લડની વ્યવસ્થા કરવા વડોદરા જવું પડે છે અને તે પણ સામે બ્લડ ડોનર માંગતા હોય છે માટે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને પણ જાણ થાય તો જલ્દી ને જલ્દી છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓને બ્લડ જરૂરિયાત મંદ પૂરી થાય માટે બોડેલીમાં જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહજી રાજપુત સર મહામંત્રી જૈમિન ભાઈ પટેલ તેમજ કિસાન સેલના પ્રમુખ તાલુકા પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ અને દિલુભાઈ ઠક્કર તેમજ અમજદભાઈ ખત્રી તેમજ બોડેલીના આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ બોડેલી સેવા સદનમાં એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું.