મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
માનનીય કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી મહિલા અને બાળ અધિકારી શ્રીના માર્ગદર્શનથી પરખ સંસ્થા હિમતનગર સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ધ્વારા બેનને આશ્રય આપી. બેનને કપડા અને જીવન જરુરીયાતની ચીજ વસ્તુની કિટ આપવામાં આવેલ. કેંદ્ર સંચાલક ધ્વારા કાઉન્સેલિંગ કરી બેનને આશ્વાસન આપવામાં આવેલ. તેમજ બીજા દિવસે સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે મેડિકલ સારવાર કરાવેલ ત્યારબાદ કોટેજ હોસ્પિટલ ભિલોડાના માનસિક રોગના ડો.શ્રી અનિલ તાબિયાર સાહેબશ્રીને તેમજ કાઉન્સેલર શ્રી મતિ જ્યોતિબેન અને સ્ટાફને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવી માનસિક રોગની સારવાર કરાવ્યા બાદ પરીવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.