મોડાસા ખાતે રાજ્ય સરકાર આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૯.૯૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આઈ.ટી.આઈ કસાણાનું લોકાર્પણ

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્ય સરકાર આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રૂ. ૯.૯૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આઈ.ટી.આઈ .કસાણાનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. કસાણા માટે ભૂમિદાન આપનાર દાતાશ્રી શ્રીમતી અનસુયાબેન દોશી, સંચાલકશ્રી, સેવા મંડળ ટ્રસ્ટ મેઘરજનું સન્માન મંત્રીશ્રી ના હસ્તે કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here