કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના રાબોડ ગામના કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ અને અક્ષયકુમાર વલ્લવભાઇ પટેલ રાબોડ અને અલવા વચ્ચે ૧૨:૩૦ કલાકે રોડની બાજુમાં ચાલતા પરત ફરતા સમયે બાઇક નં જીજે-૬-એન-૧૯૯૬ કોઈ અજાણ્યા મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવતા તેમને એડફેટે લઈને ફરીયાદી કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ ને જમણા હાથે તથા પગના ભાગે ઇજા પહોંચાડી અને અક્ષયકુમાર વલ્લવભાઇ પટેલ માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર રીતે અકસ્માત સર્જીને ફરાર થઈ જતા ઘટના સ્થળે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જે અકસ્માત ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં દવાખાને સારવાર દરમ્યાન અક્ષયકુમાર વલ્લવભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટના અંગે અકસ્માતને નજરે જોનારા કમલેશભાઈ ડાહ્યાભાઇ પટેલ જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર મોટરસાયકલ નંબર જીજે-૬-એન-૧૯૯૬ હોવાનું નોંધ્યું હતું જે અંગે કાલોલ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ જનારા મોટરસાયકલ નંબર જીજે-૬-એન-૧૯૯૬ વિરુદ્ધ કાલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર રાઠોડે હાથ ધરી છે.