રાજપીપળાની પરિણિતા ઉપર ભાવનગર ખાતે સાસરિયાંઓ દ્વારા શારીરીક માનસિક ત્રાસ ગુજારાતા પોલીસ ફરિયાદ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પરિણિતા પાસે દહેજની માંગણી કરાતા પતિ સહિત સાસુ-સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

રાજપીપળાની પરિણિતાને તેના સાસરિયાંઓ દ્વારા શારીરીક અને માનસિક ત્રાસ ગુજારાતા તેમજ દહેજની માંગણી કરાતા પરિણિતાએ રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે સાસરિયાંઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે .

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળાના સોનીવાડ ખાતેના મંદિર પાસે રહેતી દિપીકાબેનના લગ્ન 2012 ના વર્ષમાં ભાવનગરમાં વિજેસભાઇ જગન્નાથભાઈ ખટીક રહે.આણંદનગર, વીમા દવાખાના પાસે, મ્યુનિસિપલ કવાર્ટર, ભાવનગરની સાથે થયા હતા. થોડા સમય લગ્ન જીવન શાંતિથી પસાર થયા બાદ પતિદેવ દ્વારા પરિણિતાની મારઝૂડ કરતા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતા મહિલા ત્રાહિમામ પોકારી ગઇ હતી, પતિદેવ સહિત સસરા જગન્નાથ ખટીક અને સાસુ સુશીલાબેન પણ મહિલા સાથે અણછાજતું વર્તન કરી સાસરિયાંઓ દ્વારા દહેજની માંગણીકરાતા મહિલા પોતાના ઘરે રાજપીપળા પરત આવી હતી.

રાજપીપળા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે મહિલા ની ફરિયાદ નોંધી સાસરિયાં ઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here