ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-
MCMCની પરવાનગી વગર રાજકીય જાહેરાત પ્રસારિત કરી શકાશે નહી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતા આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી, આદર્શ આચાર સંહિતાના અમલ દરમ્યાન રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા રાજકીય પ્રકારની જાહેરાતો વિજાણુ માધ્યમોમાં પ્રસારિત કરતા પહેલા મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી(MCMC) સમક્ષ રજુ કરી, મંજુરી મળ્યા બાદ જ પ્રસારણ કરવાની કાર્યપધ્ધતી અનુસરવાની હોય છે.
જેથી, તમામ ટીવી ચેનલના પ્રતિનિધિઓ, કેબલ ઓપરેટરોએ પોતાની ચેનલમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા આપવામાં આવતી જાહેરાત પ્રસિધ્ધ કરતા પહેલા રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા MCMCનું પ્રમાણપત્ર મેળવેલ હોવાની ખાત્રી કર્યા બાદ જ રાજકીય પક્ષો/ઉમેદવારોની જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે જેની સર્વેએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવે છે.