છોટાઉદેપુર, સકીલ બલોચ :-
સેગવા સીમલી ગામના પ્રકાશભાઈ રાઠવાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રુટનું વાવતેર કર્યું
શકાય. ડ્રેગન ફ્રુટમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું. રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરતો નથી તેમ જણાવીને પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રુટમાં સારો પાકા આવવાની આશા વ્યક્ત કરી હતી.
પ્રકાશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તથા પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે. પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રકાશભાઈને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ ૨૦૨૧-૨૨ નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે.
આમ, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આવક વધારવાની સાથે પ્રકૃતિના જતનના ભાગીદાર બની રહ્યા છે.