પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ જિલ્લા તરફથી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ફળ વિતરણ કાર્યક્રમ યોજાયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી કુપોષણ નાબૂદી અભિયાન હેઠળ બાળકોને 70 કિલો ફળ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ. જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી તથા જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.તાલુકા પંચાયત કચેરીમાંથી આશીસ્ટન ટી ડી ઓ શ્રી જયદીપ ભાઈ રાણા, હિરેન ભાઈ તથા આઈ સી ડી એસ કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા તથા કુપોષણ નાબૂદી અભિયાનમાં સૌને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી. ફળનું વિતરણ આંગણવાડીની બહેનો મારફતે બાળકોને કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થા દરમિયાન કોરોના અંગેની ગાઈડ લાઈનનું ધ્યાન રાખીને કામગીરી કરવા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચ ના આ સેવા કાર્ય માં કાલોલ નગર પાલિકાના પ્રમુખ શૈફાલી બેન ઉપાધ્યાય એ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here