પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સ્વાગતમાં કુલ ૦૯ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમને ૨૦ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ થકી ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુધીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે.સ્વાગત સપ્તાહની જનજાગૃતિ ઉજવણી અંતર્ગત ગ્રામ્યકક્ષા ,તાલુકાકક્ષા તેમજ જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લામાંથી કુલ ૧૨ અરજાદારો પૈકી ૯ અરજદારો દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે રજુઆત કરાઈ હતી અને તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here