નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
આજરોજ નસવાડી મદની શાળા મા કેન્દ્ર ફાળવેલ હોય ધોરણ બાર ના વિદ્યાર્થીઓનું શાળા મંડળ અને સ્કુલ સ્ટાફ દ્રારા પુષ્પ અને મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યુ જેમા વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે અને તમામ વિદ્યાર્થી બીક વગર પરીક્ષા આપે અને સારા ગુણ લાવી પોતાનુ ભવિષ્ય બનાવે અને આગળનો અભ્યાસ પણ સારી રીતે કરે અને બીક વગર પરીક્ષા આપી સારા ગુણ આવે તેવી મંડળ દ્રારા સલાહ આપી હતી અને પ્રાર્થના કરવામાં આવી હતી આ વખત મદની શાળામા પહેલી વાર કેન્દ્ર ફ્ળવાતા શાળાના વિદ્યાર્થીઓમા આનંદ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ ને પુષ્પ આપી મોડા મીઠા કરાવી પ્રવેશ આપવામા આવયો હતો.