નર્મદા જીલ્લામાં બોગસ આદિવાસી બની આદિવાસી યુવતીઓને લગ્નની જાળમાં ફંસાવવામાં આવતી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો ધડાકો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસી યુવતીઓ ને કોણ ફંસાવે છે ?? તપાસ નો વિષય

પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લા ના સાંસદ મનસુખ વસાવા એ નર્મદા જીલ્લા ના સાગનારા તાલુકા ના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટી ના મંડળ ની એક બેઠક માં આદિવાસીઓ ને લગતા પ્રશ્નો ને ઉજાગર કર્યાં હતાં જેમાં આદિવાસી યુવતીઓ સાથે બોગસ લોકો આદિવાસી ના સ્વાંગ રચીને લગ્ન કરતા હોવાનો ધડાકો કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવા એ સેલંબા ખાતે ના ભારતીય જનતા પાર્ટી ના મંડળ ની બેઠક માં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લા માં કેટલાક લોકો ખોટા આદિવાસી બની જીલ્લા ની આદિવાસી છોકરીઓ ને ફસાવતા હોય છે, તેમની સાથે લગ્ન કરી બે ત્રણ વર્ષ આદિવાસી યુવતીઓ સાથે રહી તેમને છોડી દેવામાં આવે છે, અને આ બોગસ બની બેઠેલા આદિવાસીઓ બીજી આદિવાસી યુવતી સાથે લગ્ન કરે છે, જેથી આવા લોકો જે આદિવાસી યુવતીઓ નું સોશન કરે છે તેવા લોકો નો સહુને સાથે મળી ને વિરોધ કરવા ની હાંકલ કરી હતી.

આ ઉપરાંત તેઓએ જાતિ અંગે ના પ્રમાણપત્રો નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો,જે પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે તે રદ કરી અને જે કાયદો આદિજાતિ ઓ નાં પ્રમાણપત્રો માટે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ તેનો અમલ કરવામા આવે ની માંગ તમામ આદિવાસી સમાજ ના આગેવાનો કરે એવી હાંકલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટીના કાર્યક્ર્મ માં સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી યુવતીઓ ના બોગસ આદિવાસીઓ સાથે લગ્ન થતાં હોવાનો મુદ્દો ઉઠવ્યો છે ત્યારે આ મામલે સરકાર આવા બોગસ આદિવાસીઓ કોણ ? કોણ કરી રહ્યું છે આદિવાસી યુવતીઓ નું શોષણ ? શું આ માંમલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારાજ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે ત્યારે આની તપાસ હાથ ધરવામાં આવશે ખરી?? બોગસ બની બેઠેલા આદિવાસી ઓ સામે આદિવાસી યુવતીઓ ના સોષણ મામલે કાર્યવાહી હાથ ધરાશે ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here