નર્મદા જીલ્લાના શંભુનગર ખાતે શ્મશાનના સેડનું જીલ્લા પંચાયત પ્રમુખના વરદ હસ્તે ખાતમુહૂર્ત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ના આંબાવાડી જીલ્લા પંચાયતમાં આવેલ શંભુનગર ખાતે સ્મશાનમાં સેડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું , આદિવાસી વિસ્તારોમાં ચોમાસા ની સીઝન દરમિયાન મરણ થતાં લોકો ને અંતિમ દાહ આપતા ઘણી સમસ્યા થાય છે ત્યારે આવા સેડ બનતા આદીવાસીઓ ને હવે તકલીફ માંથી છુટકારો મળશે.

શ્મશાન ના સેડ ના આ ખાતમુહૂર્ત પ્રસંગે આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય કુસુમબેન રસુલભાઈ, કંચનભાઈ દાભવણ, કમોદવાવ, આંબાવાડી દેવીપાડા ગામના વડીલ તથા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here