છોટા ઉદેપુર ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા પ્રદેશ મીડિયા પ્રવક્તા હિરેનભાઈ કોટક, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાતા ચેતના અભિયાન અંતર્ગત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ મતદાતા ચેતના અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં આવનારી લોકસભા ચૂંટણી પહેલાં દરેક નગર અને ગ્રામ્ય વિસ્તારો માં તા. 25 થી 31 ઓગષ્ટ દરમ્યાન મતદાર નોંધણી ઝુંબેશ ચલાવવા અને નવયુવાનો ને લોકશાહી પ્રત્યે જાગૃત કરવા કેમ્પ યોજી વધુ માં વધુ મતદારો ની નોંધણી કરવા હાકલ કરવામાં આવી હતી. તા.25 ઓગષ્ટ થી શરૂ થતાં આ મહા અભિયાન અન્વયે પાર્ટી ના દરેક મોરચા ના કાર્યકર્તા ઓએ શાળા, કૉલેજ માં પ્રત્યક્ષ જઇ મતદારો ની જાગૃત કરી નોંધણી કરાવવા માટે કેમ્પ નું આયોજન કરી વઘુ માં વઘુ યુવાન મતદારો જોડાય તે રીતે અભીયાન ને સફળ બનાવવા કામે લાગી જવા હાકલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here