છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર મતવિસ્તારના કદવાલ ગામે આદેશ આશ્રમ ખાતે કોજવે નાળા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ શ્રી જયનાથબાપુ,છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, જેતપુરપાવી તાલુકા ભાજપા મહામંત્રી પ્રવીણભાઈ રાઠવા,કદવાલના સંરપચ રુજલીબેન રાઠવા, લક્ષ્મણભાઈ નગરશેઠ, ઈન્દ્રજીતસિહ ઠાકોર સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.