કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
:આજ રોજ કાલોલ મામલતદાર શ્રી ને અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગૌવંશની તસ્કરી અને હત્યા કરતા તત્વો ને જોતા હિન્દુ મહાસભા દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જોઆપી ભારતમાં સંપૂર્ણપણે ગોહત્યા બંધ કરાવવામાં આવે તે બાબત નુ પ્રમાણપત્ર આપી માંગણી કરેલ છે.અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે કાલોલ મતદારને પત્ર લખવામાં આવ્યો છે કે હીન્દુ સમાજ ગાય ને માતા તરીકે પુજે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતા ઓ ને વાસ છે છતા ગાય માતા નો સંહાર કરતા કતલ ખાનાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે જે બાબત સહી શકાય તેમ નથી. ભારત વર્ષ મા સદીઓ થી ગૌ માતા નુ પૂજન થતુ આવ્યુ છે, ગૌમાતા ને ભગવાન માનવા મા આવે છે સરકાર જો નોટબંધી રાતોરાત થઈ શકતી હોય તો ગૌમાતા રાષ્ટ્રીય માતા રાતો રાત જાહેર ન થઈ શકે?