નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીમાં ભારતીય જનતા યુવા મોરચા મંડલ દ્વારા બુથ સશક્તિકરણની બેઠક રાખવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આપેલ આગામી કાર્યક્રમ અને વિશેષ બુથ સશક્તિકરણ અભિયાન અને ધો.10.12 ની બોર્ડની પરીક્ષામાં પેન અને ચોકલેટ આપી સન્માન કરવામાં આવશે અને તા:23 થી 30 માર્ચ સુધી સહિદ દિવસની ઉજવણી કરવામાં આવશે તેના સંદર્ભે યુવા મોરચા દ્વારા મીટીંગ કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રભારી અક્ષીલભાઈ પટેલ અને જિલ્લા યુવા મોરચા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ, જીલ્લા યુવા મોરચા ઉપ પ્રમુખ નિશાંત શાહ ,નસવાડી યુવા મોરચા પ્રમુખ પૂર્વેશભાઈ રાઠવા,નસવાડી યુવા મોરચા મહામંત્રી હસમુખભાઈ રાઠવા,મહામંત્રી મેહુલભાઈ તડવી,નસવાડી તાલુકાના યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં બેઠક રાખવામાં આવી હતી. દરેક યુવા મોરચા હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહ્યા હતા.