અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-
આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે વિશ્વની ઝડપી માહિતીઓ અપડેટ કરી શકાય છે પરંતુ ગુજરાતમાં ડિજિટલ કાર્ય પદ્ધતિમાં આયોજનના અભાવ કે તંત્રની નિષ્ક્રિયતા કારણે અમદાવાદ શહેર જેવા મેગાસિટીમાં વિકાસ લક્ષી કાર્યમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા ચિંતક કાર્યમાં નિષ્ફળ નિવડિયા હોય તેમ અમદાવાદ શહેરના રાયખંડ સ્થિત હેરિટેજ સરકારી કન્યાશાળાની રીનોવેશન ની કામગીરી એકાએક ડિજિટલ યુગમાં જાણે તંત્રના નિષ્ક્રિયતાનું સર્વર ડાઉન થયું હોય તેમ આયોજન ના અભાવ કે ઐતિહાસિક ઇમારતો ખંઢેર પરિસ્થિતિમાં અમદાવાદ જેવા મેગાસિટી માં જોવા મળે છે ત્યારે તંત્ર સમક્ષ અમદાવાદના સર્વ સમાજ ચિંતક સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ માંગણી કરી છે તત્કાલ રીનોવેશન કરાવી વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્ય માટે ખુલ્લી મુકવામાં આવે એમ લાગણી ભેર માંગણી કરી છે જે રાયખંડ સ્થિત હેરિટેજ સરકારી કન્યાશાળાની ઇતિહાસિક ઈમારત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.