રિવરફ્રન્ટ પર અસામાજિક તત્વોનો અડ્ડો બનેલ પે એન્ડ યુઝ શૌચાલય પુનઃ શરૂ કરવા માંગ

અમદાવાદ, આરીફ દીવાન :-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાહેર શૌચાલય પે એન્ડ યુઝ ઉભું કરવામાં આવ્યું છે, પરંતુ તેની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે લોકો મફતમાં પણ યુઝ કરવા જઈ શકતા નથી. આ અંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે રિવરફ્રન્ટ પર હરવા ફરવા આવતા લોકો આ પે એન્ડ યુઝ નો ઉપયોગ કરી શકે તે હેતુથી તેનુ વહેલી તકે સમારકામ કરાવી સાફ-સફાઈ કરવામાં આવે. કારણ કે ટોયલેટના દરવાજા તૂટી ગયા છે જ્યારે ઠેર ઠેર ગંદકી ખદબદી રહી છે. પે એન્ડ યુઝ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે આથી તેનો વહેલી તકે પુનઃ ઉપયોગ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here