છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ કોરોના પોઝિટિવ કેસો ન મળતા જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

હાલોલ નગરપાલિકાના ઈન્દ્રલોક, દેસાઈ ફળિયા, વિઠ્ઠલ ફળિયા તેમજ ગોધરાના જિતપુરાનો પટેલ ફળિયા વિસ્તાર નિયંત્રણમુક્ત જાહેર કરાયા

માહિતી બ્યુરો(ગોધરા)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના હાલોલ નગરપાલિકાના ઈન્દ્રલોક, દેસાઈ ફળિયા, વિઠ્ઠલ ફળિયા તેમજ ગોધરાના જિતપુરાનો પટેલ ફળિયા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઈન્દ્રલોકમાં ૩૦મી જૂનના રોજ તેમજ દેસાઈ ફળિયા, વિઠ્ઠલ ફળિયા અને પટેલ ફળિયામાં પ્રથમ જુલાઈના રોજ કોવિડ સંક્રમણનો કેસ મળી આવ્યો હતો. આ સાથે જ આ વિસ્તારોના ૭૪ ઘરોના ૨૧૩ વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૨૮૫ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૧૦૪ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here