ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા
આસો નવરાત્રિ દરમિયાન યાત્રાળુઓની મોટી સંખ્યા અને કોવિડ સંક્રમણના ભયને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ કોવિડ સંક્રમણ સામે તકેદારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટિમ્બી ત્રણ રસ્તાથી, ધનકુવા ચોકડીથી, વડા તળાવથી તથા ટપલાવાવ તરફથી પાવાગઢ તરફ આવતા તમામ પ્રકારના ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ તા. ૩૧/૧૦/૨૦૨૦ સુધી સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.