હાલોલ, (પંચમહાલ) ઇરફાન શેખ :-
આજ રોજ અનીશ બારીઆ પાવાગઢ પવિત્ર ધામની મુલાકાત લીધી હતી અને ત્યાં વિકાસના નામ પર સ્થાયી લોકો અને દુકાનદારોની દુકાનો તોડી પાડવામાં આવી હતી અને જેથી વહીવટીતંત્ર અને સરકાર દ્વારા કંઇપણ ધ્યાનમાં ના લેવાથી આજ રોજ અનીશબારીઆએ દુકાનદારો તેમજ સ્થાયી લોકોની મુલાકાત લઈ દુકાનદારોને ત્યાં પ્લોટ અને વળતર મળે તે માટે લોકોને આશ્વાસન આપ્યું હતું. અને આગામી સમયમાં સરકાર તરફથી પ્લોટ અને વળતર ના આપે તો કલેકટરશ્રીને ટૂંક સમયમાં આવેદનપત્ર આપી ગાંધીચિંધ્યા માર્ગે લડત લઢીને વળતર ચૂકવા માટે સરકારને રજૂઆત કરવા વચન આપ્યું છે.