કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ
સમગ્ર દેશને એક તાંતણે જોડનાર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીશ્રીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાદગી પૂર્ણ રીતે યોજાયેલા કાર્યક્રમ મા ઉપસ્થિત સૌએ સરદાર સાહેબનાં કાર્યોને યાદ કર્યા હતા.ખાસ કરીને દેશ ના પ્રથમ ગૃહ મંત્રી તરીકે રજવાડાઓનુ અખંડ ભારત મા વિલિનીકરણ કરવામાં તેઓની વિશિષ્ટ ભુમીકા રહી હતી અને એક અખંડ રાષ્ટ્ર નુ નિર્માણ થયું હતું જેને સહુએ વાગોળયો હતો.