શ્રાવણ માસના અંતિમ દિવસે નીલકંઠ મહાદેવ મંદિર ચલાલી ગામે મહાયજ્ઞનું આયોજન કરાયું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ચલાલી ગામે શ્રાવણ માસના અંતિમ દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરાયું હતું શ્રાવણ માસની પૂર્ણાહુતિ એટલે કે અમાવસ્યાના દિવસે મંદિરમાં મહાયજ્ઞ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું નીલકંઠ મહાદેવ મંદિરે ચલાલી ગામે પરંપરા મુજબ યજ્ઞ યોજાયો હતો જેમાં ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રી દરમિયાન લોકડાયરો અને રામદેવપીર મહારાજનો પાઠ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here