શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા નગરપાલિકા હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા વયનિવૃત થતા તેમને વિદાય સમારોહ યોજાયો હતો. તાલુકા પંચાયત કચેરી સહિતની વહીવટી કચેરીઓના કર્મચારીઓ દ્વારા તેમનુ પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યું હતુ.આ પ્રસંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
30મી જુનના દિવસએ રિટાયર્ડમેન્ટ ડે કહેવામા આવે છે. સરકારના વિવિધ ખાતાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ દિવસે નોકરીમાથી રિટાયર્ડ થતા હોય છે.શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીત માટીએડા પોતાની નોકરીમાંથી વયનિવૃત થતા તેમનો વિદાય સમારોહ કાર્યક્રમ શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે રાખવામા આવ્યો હતો.આ વિદાય સમારોહના અધ્યક્ષ તરીકે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે તાલુકા પંચાયત સહિત અનય કચેરીઓના કર્મચારીઓ,વિવિઘ ગ્રામ પંચાયતનના તલાટીકમમંત્રીઓ,તેમજ સરપંચો, તેમજ રાજકીય આગેવાનો,તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો અને તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ અને ભેટસોગાદ આપીને તેમનુ સન્માન કરવામા આવ્યુ હતુ, સાથે સાથે તેમનુ નિવૃતજીવન સુખમય રીતે પસાર થાય તેવી પ્રાર્થના કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here