શહેરા,(પંચમહાલ) ઈમરાન પઠાણ :-
શહેરા તાલુકાના વિરોધપક્ષ ના નેતા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી આજરોજ તડીપાર કેમ ન કરવા તે બાબત ની નોટિસ પ્રાંત અધિકારી દ્વારા ફટકારવામાં આવી હતી.જેને લઈને જે.બી. સોલંકી ના સમર્થકો દ્વારા આજ રોજ શહેરા તાલુકા સેવા સદન ખાતે વિરોધ દર્શાવ્યો હતો. પેહલા બીજેપી નો સમર્થક હતા જોગી ગઢવી અને અચાનક વિપક્ષ પક્ષ ના નેતા ના સમર્થન માં જોડાયો તે જોઈને લોકોમાં અનેક ચર્ચા જોવા મળી. અને વિપક્ષ પક્ષ ના સમર્થન માં જોડાઈ ને શહેરા ના ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ની હાય હાય બોલાવી હતી. અને વધુમા બીજેપી કાર્યકર જોગીરાજ ગઢવીએ જે.બી સોલંકી ને સમર્થન આપી તેમના ઉપર પણ ધારાસભ્ય જેઠા ભરવાડ તરફથી આવા કાવતરા કરવામાં આવ્યા હતા તે જોગી ગઢવી એ જણાવ્યું હતું. અને જે.બી સોલંકી ને તડીપાર કરવાના નોટિસ ને સ્પષ્ટ શબ્દોમાં વખોડી નાખી હતી.જ્યારે જે બી સોલંકી ના સમર્થકો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો . તથા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ની હાય હાય બોલાવી હતી. જયારે આ નોટિસ સુનાવણી માં વકીલ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેમાં અગાઉ ૧૯ તારીખના રોજ તેની સુનાવણી રાખવામાં આવી છે.