શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદ ગામે તીતાજીના મુવાડા ફળિયા રહેતા ગણપતભાઈ કાળુભાઈ રાઠોડને તેઓના સગા ભાઈ નવટરસિંહ કાળુભાઈ રાઠોડ, ભાભી નિરુબેન નટવરસિંહ તેમજ ભત્રીજો રાજેન્દ્રસિંહ આ ત્રણેય ભેગા મળી માં-બેન સમાણી ગાળો બોલી લાકડી વડે પગના ભાગે તેમજ બરડાના ભાગે મારમારી તારી પત્ની ગામમાં બીજા વ્યક્તિઓ સાથે આડાસંબંધ રાખે છે તો તું કેમ કશું કહેતો નથી તેમ કહેતા ગણપતભાઈએ ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેયએ ગણપતભાઈને નાના ભાઈ જશવંતસિંહના ઘરે લઈ જઈ શરીર ઉપર કેરોસીન છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી ગણપતભાઈના જ સગા ભાઈ નટવરસિંહે દિવસળી સળગાવી ગણપતના શરીરે આગ ચાંપતા ગણપતભાઈને શરીરે દાજી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, સમગ્ર બાબતે ગણપતભાઈએ પોતાના સગા ભાઈ નટવરસિંહ કાળુભાઈ રાઠોડ તેમજ ભાભી નિરુબેન અને ભત્રીજા રાજેન્દ્રસિંહ રાઠોડ આ ત્રણેય સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે નોંધી કાર્યવાહી હાથધરી હતી.