મોરબી,
આરીફ દિવાન
આજ રોજ તા. 30.01.2021 નેશનલ હાઇવે ઓથરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 32 માં રોડ સફેટી મંથ ની ઉજવણી કરવા માં આવી રહી છે તે અંતર્ગત NH-27 પર આવેલા સૂરજબારી ટોલ પ્લાઝા ના કર્મચરીઓ દ્વારા રોડ સેફેટી મંથ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોડ પર થી પસાર થતા વાહન ચાલકો ને વિવિધ પ્રવૃતિ ઓ દ્વારા સેફ્ટી વિશે ની જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં પેમ્ફ્લેટ્સ વિતરણ, વાહનો પાછળ રેડિયમ ચોંટાડવા, જે લોકો સીટ બેલ્ટ,હેલ્મેટ તથા બરાબર સેફ્ટી થી ચાલતા લોકો ને પુષ્પ આપી તથા તેમનું ઢોલ વગાડી ને ટોલ પ્લાઝા પર સ્વાગત કરવા માં આવ્યું હતું . લોકો સેફ્ટી થી ચાલે અને કોઈ એક્સિડન્ટ ના થાય તે માટે નું માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. જેમાં સામખિયાળી પોલીસ સ્ટાફ થતા ટોલ પ્લાઝા ના કર્મચારીઓની ટીમ શ્રી( સતિસ નિકમ તથા શ્રી દિલીપ મેવાડા) ના સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવ્યો હતો. આગળ પણ આગામી 17 February સુધી આ પ્રકારના કાર્યક્રમો યોજી રોડ પર ચાલતા રોડ ચાલકો ને માહિતગાર કરવા માં આવશે.