વડોદરા વાઘોડિયા રોડ દશાલાડ ભવન ખાતે વૈષ્ણવ વાણીક સમાજ દ્વારા તેજસ્વી તારનાઓને સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામા આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડોદરા વાઘોડિયા રોડ દશાલાડ ભવન ખાતે વૈષ્ણવ વાણીક સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો
આ કાર્યક્રમની શરૂઆતમાં મૃત્યુ પામનાર ની આત્મા ઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં બે મિનિટ મૌન પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ધોરણ ૧૦, ધોરણ ૧૨, અને ગ્રેજ્યુટ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રથમ મેળવનાર તેજસ્વી તારનાઓનો સન્માન સમારંભ વડોદરા મુકામે સંખેડા દશાલાડ ભવનમાં સમાજના પ્રતિષ્ઠત મોભી અને હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમ છેલ્લા ૨૦, વર્ષ ઉપરાંત થી યોજવામાં આવે છે, જેમાં સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત જબુગામ સમાજના પ્રમુખ વિજયભાઈ શાહ વડોદરા દશાલાડ સમાજના પ્રમુખ ભરત દેસાઈ સંખેડા મંત્રી પરિમલભાઈ શાહ સંખેડા નાગરિક બેંકના ચેરમેન સંજયભાઈ દેસાઈ જબુગામ દશાલાડ સમાજના પ્રમુખ વિજયભાઈ શાહ,જબુગામ પૂર્વ સરપંચ અને વિદ્યા મંડળના જગુ ગામના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ (બાદશાહ ભાઈ) જબુગામ દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી ગોવિંદ કાકા શ્રી ડી બી પારેખ હાઈ સ્કુલ સંખેડા આચાર્ય ચિરાગભાઈ શાહ અને અન્ય સમાજના આગેવાનો ની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ૫૫, વિદ્યાર્થીઓને તેજસ્વી તારલા ઓનું સન્માન કરવામાં આવ્યું, તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here