મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-
આજે ઇદ મિલાદ નિમિત્તે સમગ્ર ભારત માં મોહસીને આઝમ મિશન દ્વારા સેમિનાર ગોઠવી ને સ્કૂલ, કોલેજ માં મોહમ્મદ સાહેબ ના પવિત્ર જીવન વિશે માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે આજે મોડાસા ખાતે ઉર્દુ શાળા માં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ ની શરૂઆત સલીમ ભાઈ ઉપાદે તિલાવતે કુરાન કરી ને કરી હતી ત્યારબાદ શાળા ની વિદ્યાર્થીની એ નાત શરીફ નું પઠન કર્યું હતું મિશન ના ATS ઇન્ચાર્જ આસિફ ખાનજી એ મિશન નો વિશેષ એહવાલ આપ્યો હતો અને અસકરી બુક બેન્ક ઈન્ચાર્જ તાહિર ચુડઘરે પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું, મિશન ના મેમ્બર તારીક બાંડી દ્વારા બાળકો ને મોટિવેશન કરતું પ્રવચન કરવામાં આવ્યું હતું,શાળા માં થયેલ નાત કોમ્પિટિશન માં વિજેતા બાળકો ને ઇનામો આપવામાં આવ્યા હતા,સાબિર ભાઈ ખોખર ઝાહીદ બાંડી અશરફ સિંધવા અને સફાકત બાંડી અને અન્ય મિશન ના મેમ્બર્સ અને શાળા ના શિક્ષકો અને બાળકો ની હાજરી માં કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી
પ્રોગ્રામ નું સફળ સંચાલન ફાતમાબેન ભૂરા અને આચાર્ય હનીફ ભાઈ સૈયદ સાહેબે કર્યું હતું.